ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

       ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં ગુંદી, કાનાતળાવ, ભડભીડ, કાળાતળાવ નિરમાબ્રાંચ, સવાઇનગર જત વિસ્તાર, નવા કોટડા, ગોકુળપરા તથા શેઢાવદર ખાતે આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ તથા ૨૦ થી ૫૫ વર્ષ વચ્ચેની ઉમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.૧૬/૧૧/૨૦૨૩ સુધીમાં અરજીઓ મંગાવવામા આવે છે. વિધવા, નિરાધાર મહિલાઓ, અપંગ તથા સ્થાનિક ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાનાં દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ભાવનગર(ગ્રામ્ય) ખાતેથી મળી શકશે તેમ મામલતદાર, ભાવનગર(ગ્રામ્ય) ની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment